Tuesday, May 19, 2009

પ્રેમ અને દિવાનગી !

(From "પ્રેમની પાંચ ભાષા"- the gujarati translation of Gary Chapman's bestseller- The Five Love Languages)

મનોચિકિત્સક એમ. સ્કોટ પૅક અને ડોરોની તેનોવ સહિત બીજા અનેક શોધકર્તાઓનું તારણ છે કે "પ્રેમની દિવાનગી"ના અનુભવને "પ્રેમ"નું નામ ના આપવું જોઈએ. ડૉ. તેનોવે તેના માટે "લિમરેન્સ" શબ્દ ઉપયોગમાં લીધો છે જેથી તેને સાચા પ્રેમથી અલગ તારવી શકાય. ડૉ. પૅકના મત પ્રમાણે "પ્રેમની દિવાનગી"ને ત્રણ કારણોસર સાચો પ્રેમ ન કહી શકાય. પહેલું એ કે પ્રેમમાં પડવું એ આપણા હાથની વાત નથી. આપણે પ્રેમમાં પડવા ઈચ્છતા હોવા છતાં પડી શકતા નથી, ભલેને એના માટે આપણે લાખ કોશિશ કરીએ. બીજી બાજુ પ્રેમમાં પડવાનું હોય ત્યારે લાખ કોશિશ કરવા છતાંય બચી નથી શકતા. કેટલીક વાર આપણે અચાનક જ કસમયે, અજાણ્યા માણસના પ્રેમમાં પડી જઈએ છીએ. બીજું, આ પ્રકારનો પ્રેમ સાચો પ્રેમ નથી કારણ કે એમાં પ્રયત્ન નથી હોતો. આપણે પ્રેમના ઉન્માદમાં જે કંઈ પણ કરીએ એમાં જરા પણ અધિકાર કે સભાનતાની જરૂર નથી પડતી. એકબીજાને કરેલા લાંબા ખર્ચાળ ફોન, એકબીજાને જોવા કે મળવા કરેલી લાંબી ખર્ચાળ મુસાફરીઓ, એકબીજાને આપેલી મોંઘીદાટ ભેટો કે એકબીજા માટે કરેલા કામ અને એની પાછળ ખર્ચેલા સમય કે નાણાં અથવા કરેલી મહેનત આપણા માટે અપ્રાસંગિક હોય છે. જેમ પક્ષીઓ સ્વાભાવિક રીતે જ જરૂરિયાતને અનુરૂપ માળો બનાવે છે અને મોસમ પૂરતા એમાં રહે છે એવી જ રીતે "પ્રેમની દિવાનગી" આપણી પાસે જાતજાતના વિચિત્ર કામ કરાવે છે, પરંતુ થોડા સમય પૂરતા જ ! ત્રીજું, આ પ્રેમમાં પડેલી વ્યક્તિ સામેવાળી વ્યક્તિના વિકાસમાં રસ નથી લેતી. જ્યારે આપણે આ પ્રકારના પ્રેમમાં પડીએ છીએ ત્યારે આપણા દિમાગમાં જો કોઈ લક્ષ્ય હોય છે તો એ હોય છે માત્ર અને માત્ર આપણી એકલતા દૂર કરવાનું. પરિણામે લગ્ન પછી પણ આપણે એમ જ કરીએ છીએ. પ્રેમની દિવાનગીનો અનુભવ ના તો આપણા પોતાના વિકાસ પર કેન્દ્રિત હોય છે ના સામેવાળાના. એ તો માત્ર આપણને એવા ભ્રમમા રાખ્યા કરે છે કે આપણને આપણી મંઝિલ મળી ગઈ છે. હવે આપણે વિકાસ સાધવાની જરૂર જ નથી. એ સમયે આપણે સુખની ટોચ પર બેઠા હોઈએ છીએ. એ સમયે આપણી એકમાત્ર ઈચ્છા એ સ્થાનને ટકાવી રાખવાની હોય છે. બેશક આપણને આપણા પ્રેમી/પ્રેમિકાના વિકાસની પણ ચિંતા નથી હોતી, કારણકે એ સમયે આપણી નજરોમાં એ એક આદર્શ વ્યક્તિ હોય છે જેમાં સુધારાની કે બદલાવની આપણને કોઈ જરૂર લાગતી જ નથી. આપણે ઇચ્છતા હોઈએ છીએ કે એ એક આદર્શ વ્યક્તિ જ રહે.

એનો અર્થ એ થયો કે પ્રેમની દીવાનગીના ભ્રમમાં આવીને આપણે લગ્નની જાળમાં ફસાઈ જઈએ છીએ. એ પછી આપણી સામે બે જ વિકલ્પો ખુલ્લા હોય છે. (૧) આપણે આપણા જીવનસાથી સાથે દુઃખભરી જિંદગી વિતાવવા તૈયાર થઈ જઈએ અથવા તો (૨) આપણે આપણું ડૂબતું જહાજ છોડીને બીજા જહાજ પર ચડી જઈએ. આપણા પહેલાની પેઢીઓ પહેલો વિકલ્પ પસંદ કરતી હતી. નવી પેઢી બીજા વિકલ્પને વધુ મહત્વ આપી પોતાના અંગત સુખ વિશે વધુ સ્પષ્ટ બનવા લાગી છે. પરંતુ એક ત્રીજો અને સુંદર ઉપાય એ છે કે પહેલા આપણે "પ્રેમની દીવાનગી"ના અનુભવને સંપૂર્ણ રીતે જાણી અને સમજી લઈએ, ત્યાર પછી એનાથી થતા માનસિક ફેરફારોને ઓળખી લઈએ. એ માત્ર એક ક્ષણિક ભાવનાત્મક આવેગ છે એવું જાણી લીધા બાદ વાસ્તવિક પ્રેમની શરૂઆત કરીએ. આ પ્રકારનો પ્રેમ ભાવનાત્મક પ્રકૃતિનો હોય છે પણ એને દીવાનગી ના કહી શકાય કારણકે એ ભાવના અને બુધ્ધિના તાદાત્મ્યમાંથી ઉદભવે છે. આ પ્રેમ પોતાની ઈચ્છાથી થાય છે. એમાં અનુશાસન જરૂરી હોય છે. વળી આ પ્રકારનો પ્રેમ વ્યક્તિગત વિકાસને પણ પ્રાધાન્ય આપે છે. આપણી મૂળભૂત ભાવનાત્મક જરૂરિયાત પ્રેમની દીવાનગી નહીં, પણ વિશુધ્ધ પ્રેમ હોય છે.એવો પ્રેમ જે ઇન્દ્રિયો દ્વારા નહીં, પણ તર્ક, સમજદારી અને પસંદગી દ્વારા વિકાસ પામ્યો હોય. જેમાં આપણી ઈચ્છા અથવા એક એવી વ્યક્તિની જરૂરિયાત હોય છે જે તમને પ્રેમ કરવા માટે પસંદગીનો અવકાશ આપે. એ તમારામાં રહેલી પ્રેમ કરવાની ક્ષમતાઓને જોઈ શકે, સમજી શકે. આ પ્રકારનો પ્રેમ એ કોઈ અચાનક થયેલી અનુભૂતિ નથી પરંતુ કોઈ એક વ્યક્તિને ઓળખીને, સમજીને એનામાં રહેલા ગુણો-અવગુણોને સારી રીતે મૂલવીને કેળવવામાં આવેલો ભાવનાત્મક સંબંધ છે. આ પ્રકારના પ્રેમમાં પ્રયત્ન અને અનુશાસનની જરૂર પડે છે, કારણ કે એમાં આપણે ઇરાદાપૂર્વક સામેવાળી વ્યક્તિને ફાયદો થાય એવા પ્રયત્નો પણ કરીએ છીએ. આપણી સાથે-સાથે એના સુખ અને સમૃધ્ધિ માટેની સભાનતા પણ કેળવીએ છીએ. પરિણામે આપણને સંતોષની અનુભૂતિ પણ થાય છે, સાથે જ સામેવાળી વ્યક્તિને પણ સંબંધનો સંતોષ મળે છે. આ એક એવા સંતોષની અનુભૂતિ છે કે આપણે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. સાચા પ્રેમમાં "પ્રેમની દિવાનગી"ની અનુભૂતિ હોવી જરૂરી નથી. ખરેખર તો સાચો પ્રેમ ત્યારે જ શરૂ થાય છે જ્યારે "પ્રેમની દિવાનગી"નો અંત આવે છે.

Saturday, May 16, 2009

ડાયાબિટીસની આંખ પર થતી અસર

આપણા દેશમાં ડાયાબિટીસ એક સામાન્ય રોગ છે. ડાયાબિટીસને કારણે શરીરમાં અનેક રોગો થઈ શકે છે. એક સર્વે મુજબ દુનિયાની કુલ વસ્તીના ૪.૫% લોકોને ડાયાબિટીસ હોય છે. પરંતુ ભારતમાં આ પ્રમાણ ઘણું વધારે છે અને દર વર્ષે વધતું જાય છે. આથી ૪૦ વર્ષથી ઉપરનાં લોકોએ ડાયાબિટીસની લોહી તપાસ નિયમિત કરાવવી ખૂબ જ જરૂરી છે.
ડાયાબિટીસની આંખ પર ઘણી અસર થાય છે. આંખના પડદા પર ડાયાબિટીસની અસર થવાથી એક અથવા બન્ને આંખોમાં દ્રષ્ટિ ઓછી થાય છે, જે અંતે અંધાપામાં પરિણમે છે. આમ અંધાપાના કારણોમાં ડાયાબિટીસ એક અગત્યનું કારણ છે. આંખની તથા પડદાની નિયમિત તપાસ અને સમયસર સારવારથી ડાયાબિટીસથી થતું અંધત્વ નિવારી અને અટકાવી શકાય છે.
ડાયાબિટીસથી આંખમાં થતી તકલીફોઃ

  • ચશ્માના નંબરમાં વારંવાર ફેરફાર થવો
  • ઝડપથી મોતિયો આવવો
  • ઝામર
  • આંખના સ્નાયુઓનો લકવો
  • આંખની નસ પર અસર થવી
  • આંખના પડદા પર સોજો આવવો/લોહી આવવુ
  • આંખમાં લોહી આવવુ
  • નજર ઓછી થવી
  • અજવાળામાંથી અંધારામાં ગયા પછી આંખને ટેવાવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગવો
  • પડદો ખસી જવો

પડદા પર ક્યારે વિશેષ અસર થાય ?

  • લાંબા ગાળાનો ડાયાબિટીસ-૧૦ વર્ષથી વધુ
  • બાળપણમાં થતો ડાયાબિટીસ-૭ વર્ષથી વધુ
  • ઈન્સ્યુલીન લેતાં દર્દીઓ
  • સગર્ભાવસ્થાનો ડાયાબિટીસ
  • ડાયાબિટીસને કારણે કિડની પર અસર થઈ હોય તેવા દર્દીઓ
  • નજર ખૂબ ઓછી હોય ત્યારે

પડદા પર શું અસર થાય ?
ડાયાબિટીસને કારણે આંખના પડદાની લોહીની નળીઓ સૂકાય છે જેને કારણે પડદાને ઓક્સિજન ઓછા પ્રમાણમાં પહોંચે છે. પરિણામે પડદા પર સોજો આવે છે કે લોહી આવે છે. લાંબાગાળે લોહીની નળીઓ બંધ થઈ જાય છે અને તે ભાગનો પડદો કામ કરતો બંધ થાય છે. નવી લોહીની નળીઓ પડદામાં, પડદા ઉપર, નસ ઉપર અને વિટ્રિયસમાં વિકસે છે. આ નળીઓ પૂર્ણવિકસિત તંદુરસ્ત નળીઓ ન હોવાના કારણે આંખના સામાન્ય દબાણથી, જોરથી છીંક ખાવાથી કે ઝડપથી માથું ફેરવવાથી પણ ખુલી જાય છે અને આંખમાં લોહી આવી જાય છે તથા એકાએક નજર ઓછી થઈ જાય છે.
આંખની વિવિધ તપાસઃ

  • નજરનું માપ
  • આંખનું દબાણ માપવું
  • સ્લીટ લૅમ્પથી આંખના ભાગની ઝીણવટભરી તપાસ તથાપડદાની તપાસ
  • અલ્ટ્રાસોનોગ્રાફી
  • ફ્લોરેસીન એન્જીઓગ્રાફી
  • O.C.T. SCAN

સારવારઃ

  • ડાયાબિટીસ કાબુમાં રાખવો.
  • આંખની નિયમિત તપાસ આંખના નિષ્ણાંત ડૉક્ટર પાસે કરાવવી.
  • પડદા પર અસર જણાય તો ડૉક્ટર આરગન લેસર કે ઑપરેશનની સલાહ આપશે.
  • આરગન લેસરઃ લેસર સારવારનું મુખ્ય ધ્યેય પડદાનો સોજો કરવાનું છે જેથી નજર જળવાઈ રહે અથવા તો સુધરે. તદુપરાંત નવી લોહીની નળીઓને બંધ કરવામાં આવે છે, જેથી પડદા પર અને આંખોમાં લોહી આવતું અટકે અને નજર જાળવી શકાય. નજરમાં સુધારો ધીમેધીમે થતો હોય છે, જેમાં છ મહિના જેવો સમય લાગે છે. અગત્યની વાત એ છે કે પૂરતી સારવાર લીધા પછી પણ ઘણાં દર્દીઓને વારંવાર લોહી આવતું હોય છે અથવા પડદા પરની અસર આગળ વધતી રહે છે અને અંતે અંધાપો આવે છે. લેસરની સારવાર લેવાથી રોગ સંપૂર્ણપણે મટી જતો નથી. ડાયાબિટીસની સાથે અન્ય રોગો જેવા કે હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, ધમનીના રોગ કે કિડનીના રોગ હોય તો તેની સારવાર પણ જરુરી છે.
  • ઑપરેશનઃ જો આંખમાં આવેલું લોહી તેની જાતે ઓગળે નહીં, પડદા પર ખેંચાણ હોય અથવા તો પડદો ખસી જાય તો તેવા દર્દીઓને ઑપરેશનની જરુર પડે છે.


ડાયાબિટીસના દર્દીઓએ તેમની આંખની તપાસ દર છ મહિને કરાવવી ખૂબ જ આવશ્યક છે, જેથી ડાયાબિટીસને લીધે પડદા પર થતી અસરોનું વહેલું નિદાન અને સારવાર થઈ શકે.

Wednesday, May 13, 2009

સંસ્મરણોના સંભારણાં!

સંસ્મરણોના સંભારણાં

યાદોના કદી કોઈ કિનારા નથી હોતા,
મહોબ્બતના બધે કંઈ મિનારા નથી હોતા,
તમે રહો અમારી સાથે સદા એવા કંઈ
બુલંદ અમારા સિતારા નથી હોતા!

તારી તો કેટલી બધી વાતો મને યાદ છે,
ભૂલી જવાના કદી કોઈ બહાના નથી હોતા.
કંઈ કેટલાંય હશે ચાહકો તમારાં પણ
બધાંય કંઈ મારા જેવા દિવાના નથી હોતા!

દિલ તો હોય છે સૌની પાસે પણ સૌ
દિલમાં અચ્છાઈના ખજાના નથી હોતા.
ઘણાં લોકોને હું રોજ મળું છું કિન્તુ
બધાં તમારી જેમ મઝાના નથી હોતા!

સુંદર તો દુનિયામાં ઘણાંય હશે પણ
મનને ગમે એવા સૌ ચહેરા નથી હોતા.
તું દૂર છે મુજથી એ હુંય જાણું છું પણ
મનના વિચારોને કોઈ પહેરા નથી હોતા!

જ્યારે નિર્મળ લાગણીથી બંધાય છે સંબંધ,
ત્યારે એના થતા કોઈ તમાશા નથી હોતા.
અપેક્ષારહિત હો પાવન જ્યાં મૈત્રી ત્યાં
કરવા પડતાં કોઈ ખુલાસા નથી હોતા!

પ્રેમ પછી દર્દ અને મિલન પછી વિરહ,
બધા સમજી શકે એવા આ ઉખાણાં નથી હોતા.
તારા જ અસ્તિત્વનું પ્રમાણ છે એ સખી કે તારા
સંસ્મરણોના સંભારણાં કદી પુરાણા નથી હોતા!
- By Dr. Mohit Shah (30-3-09)

Thursday, May 7, 2009

Do you suffer from Haemorrhoids(piles) ?

What are haemorrhoids ?

Haemorrhoids are bundle of veins in the rectum, which get swollen and bleed. Haemorrhoids may form on the inside or just at the opening of the anal canal. Accordingly, they are called internal or external haemorrhoids

What cause them ?
Haemorrhoids, which are normal structures present at the upper part of the anal canal are supported by two tissues: anchoring tissue & Park's ligament. Constant pressure on these tissues (e.g. straining when constipated or due to age) tends to degenerate the tissues. As a result the haemorrhoids tend to distend. Because of lack of support the haemorrhoids become swollen (like a balloon filled with water) and are now sensitive to injury. Constant rubbing by the hard faecal matter leads to bursting of the capillaries and thus leads to bleeding. As the condition progresses the connective tissue ruptures and the haemorrhoids become permanently protruded.

Symptoms of haemorrhoids:
  • bleeding while passing the stool
  • itching & soreness around anus
  • lump feeling around anus
  • discharge
  • pain
What are the factors leading to haemorrhoids ?
  • Constipation: Straining during constipation puts pressure on the veins which either bleed or protrude outside the rectum.
  • Pregnancy: Pregnancy is a common cause for haemorrhoids in women. There is increased pressure in the veins due to the enlarging womb and increased blood volume.
  • Standing or sitting for a long periods: People who tend to stand (e.g. teachers, factory workers) or sit (e.g. office workers) for a long periods tend to accumulate blood in the veins, which can lead to haemorrhoids.
  • Overweight: Being overweight puts extra pressure on the haemorrhoidal veins.
Grades of haemorrhoids:
Grade 1:
  • Symptoms: Bleeding, discomfort
  • Signs: Haemorrhoids visible by proctoscopy, which may protrude while straining but which are not prolapsed.
Grade 2:
  • Symptoms: Bleeding, discomfort, itching
  • Signs: Prolapse visible at anal opening during straining efforts, but with spontaneous return to normal place when straining ends.
Grade 3:
  • Symptoms: Bleeding, discomfort, itching, soiling
  • Signs: Prolapse requires manual replacement with finger.
Grade 4:
  • Symptoms: Bleeding, pain, soiling, discharge pruritus
  • Signs: Irreducible prolapse
What is the cause of concern in haemorrhoids ?

Haemorrhoids are very common. One out of four adults suffer from this condition. In fact, half the population over 50 years of age suffer from haemorrhoids. Most haemorrhoids attacks are self curing and symptoms disappears within 7 to 10 days. As the condition worsens, one may suffer 4 to 6 episodes in a year. This cause considerable blood loss and may lead to anaemia, specially in women. Sometimes, haemorrhoids protrude out of the anal canal and in such cases, doctors might recommend surgery.

What is the treatment ?
  • Regularise bowel movement: Increase fibre in your diet and drink plenty of water. This will help relieve constipation. Bulk laxatives like isapghol, bran are also helpful to relieve constipation if diet does not work.
  • Medication: Flavanoid derivatives bring about rapid and marked relief in acute episodes and chronic symptomatology of haemorrhoids along with anti-inflammatory & hemostatic medication. Analgesics, antipruritic drugs & local soothing & anaesthetic agents may be used to relieve acute symptoms.
  • Surgery: When the haemorrhoids are prolapsed, they require surgery. Band ligation, sclerotherapy, coagulation, haemorrhoidectomy are some of the surgical methods used.
How to prevent haemorrhoids ?
  • Drink lots of water, at least 1.5 to 2 litres daily.
  • Eat a balanced diet: food rich in fibres, cereals, fruits and vegetables.
  • Take regular exercise such as walking, jogging, running, swimming, cycling etc.
  • Avoid spicy food, alcohol, excessive tea or coffee, tobacco.